ટંકારા તાલુકાના સરાયા ગામે ઘર કંકાસના કારણે ૫૫ વર્ષીય પ્રોઢે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા શામજીભાઈ નારણભાઈ ઢેઢી ઉવ.૫૫ એ ગત ૧૧ જુલાઈના રોજ પોતાના ઘરે ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લીધી હતી. જેથી પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવની તપાસમાં મૃતકના પુત્ર અક્ષયભાઈ શામજીભાઈ ઢેઢી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






