મોરબી: અમદાવાદમાં યોજાયેલા સંસ્કૃતોત્સવ-૨૦૨૬ દરમિયાન સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત મોરબીની સાર્થક વિદ્યામંદિરને સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમનું સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે.
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત મોરબીની સાર્થક વિદ્યામંદિરને સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં સંસ્કૃત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
આ સન્માન સ્વીકારવા માટે શાળાના સંચાલક, સંસ્કૃત વિષયના શિક્ષકો તેમજ વ્યવસ્થાપન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવી આ સફળતાનો શ્રેય તેમના સહયોગ અને મહેનતને આપ્યો હતો.






