વાંકાનેર: વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલા શીવાલય શેલ્ટર હોમમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધનું લાંબા સમયથી ચાલતી તાવની બીમારી બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મૃતક મનિષભાઈ નટવરલાલ તલાટી (ઉં.વ.66) મૂળ દાહોદના નવાગામના રહેવાસી હતા અને હાલ વાંકાનેરના શીવાલય શેલ્ટર હોમમાં રહેતા હતા.પોલીસ રિપોર્ટ મુજબ, તેમને લાંબા સમયથી તાવ આવતો હતો. આ બીમારીના કારણે તેમનું મોત થયું હતું. સરકારી હોસ્પિટલના તબીબી અધિકારી દ્વારા જાણ કરવામાં આવતા વાંકાનેર સિટી પોલીસે અ.મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






