મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ૧૭ વર્ષીય સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું.
મટી વિગત અનુસાર, રફાળેશ્વરના મચ્છુનગર વિસ્તારમાં રહેતી ચાંદની રમેશભાઈ મંગોલીયા ઉવ.૧૭એ ગઈકાલ તા. ૨ સપ્ટેમ્બરે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર તથા પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.






