Tuesday, April 30, 2024
HomeGujaratબાગાયત ખેડૂતો સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ૧૫ મે સુધી I -ખેડુત...

બાગાયત ખેડૂતો સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ૧૫ મે સુધી I -ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ,તથા કાચા મંડપ,પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા,ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ,દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરે. દરેક ખેડુતો માટે યોજનાઓમાં લાભ લેવા માટે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓન લાઇન અરજીઓ માટે તા. ૧૫-૦૫-૨૦૨૧ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.inપર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!