મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી સામે તુલસી પેટ્રોલપંપમાં રહેતા દિપસિંહ મોટસિંહ રાવત ઉવ.૪૮ને ગઈકાલ તા.૨૮/૦૨ ના રોજ અચાનક છાતીમાં દુખાવો થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને તેમના ભાઈ નારાયણભાઈ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









