Monday, May 13, 2024
HomeGujaratમોરબીની સગીરાને ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવાન સામે ગુનો દાખલ

મોરબીની સગીરાને ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવાન સામે ગુનો દાખલ

મોરબીમાં ભદ્ર સમાજની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી લલચાવીને ભગાડી જનાર યુવાન સામે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા ભદ્ર સમાજની સગીરાને ટંકારા પંથકના ખીજડીયા નો અને હાલ રવાપર બોની પાર્ક માં રહેતો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો જેનાથી ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો તથા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી .

આ અંગે સગીરાના પિતાએ યુવાન સામે ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની સગીર વયની પુત્રીને મૂળ ટંકારા તાલુકાના ખીજડિયા ગામના અને હાલમાં રવાપર બોનીપાર્ક, આંગન પેલેસ, બ્લોકનં.૬૦૧માં રહેતા આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઇ બારૈયાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી પોતાના ઘરેથી તેના મોટરસાયકલમાં બેસાડી લઇ જઇ તેણીની મરજી વિરુધ્ધ સગીરવયની હોવાનુ જાણવા છતા અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!