Friday, March 29, 2024
HomeGujaratહળવદમાં ફેસબુક પોસ્ટ બાબતે આધેડને મારી નાખવાની ધમકી આપતા રાજકોટના શખ્સ વિરુદ્ધ...

હળવદમાં ફેસબુક પોસ્ટ બાબતે આધેડને મારી નાખવાની ધમકી આપતા રાજકોટના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદમાં ફેસબુક પોસ્ટ કરવા બદલ એક આધેડને મારી નાખવાની ધમકી મળી હતી. જેમાં આધેડે પોતાના સાથીના કહેવા પર પોતાના ફેસબુક એકાઉન્ટમાં જ્ઞાતીના ટ્રસ્ટમાં ટ્રસ્ટી બદલવા માટે પોસ્ટ મૂકી હતી. જે આરોપીને ન ગમતા તેણે આધેડને રેશન કાર્ડમાંથી નામ કમી કરાવી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના આંનદ પાર્ક સોસાયટી પ્લોટ નં.૩૧ ખાતે રહેતા હિમતભાઇ મગનભાઇ ચાવડા નામના ૫૯ વર્ષીય આધેડે સાહેદના કહેવાથી તેઓના જ્ઞાતીના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર સબબની પોસ્ટ ફેસબુકમાં મુકતા યશ ધર્મેન્દ્રભાઇ રાઠોડ (રહે. રૈયા રોડ, ફ્લેટ નં.૩૫૫ રામાપીર ચોકડી, રીંગ રોડ, રાજકોટ) નામના શખ્સે ફેસબુક પોસ્ટ સબબ ફરિયાદી આધેડને તથા સાહેદને ફોન કરી જેમ ફાવે તેમ વાત કરી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાની એટલે કે, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!