Thursday, April 18, 2024
HomeGujaratમોરબીમાં લાલપર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સગીરાને હડફેટે લેતાં સગીરાનું મોત,...

મોરબીમાં લાલપર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સગીરાને હડફેટે લેતાં સગીરાનું મોત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કૈલાશભાઇ જામીયાભાઇ વાસ્કેલ (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. હાલ લાલપર ગામ નજીક, રણુજા ટાઇલ્સ એન્ડ સીરામીકની મજુર ઓરડી શ્રીજી ગોલ્ડ સીરામીક સામે, મોરબી મુળ ગામ-રીંગણોદ પોસ્ટ સરદારપુર થાના, રાજગઢ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ) એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧ ના રોજ સવારના કલાક ૭:૧૫ પહેલા કોઈ સમયે લાલપર ગામ નજીક રણુજા ટાઇલ્સ એન્ડ સીરામીકના સામેના ભાગે વાંકાનેરથી મોરબી આવતા નેશનલ હાઇવે રોડ ઉપર આરોપી અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરીયાદીની દીકરી પુજા કૈલાશભાઇ (ઉ.વ.૧૬) ને હડફેટે લઇ અકસ્માત સર્જી માથામાં તથા પગમા ગંભીર ઇજા થતા સ્થળ પર તેણીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી આરોપી તેનું વાહન લઇ નાશી છૂટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકનાં પીએસઆઈ ડી. વી. ડાંગર ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!