Friday, April 26, 2024
HomeGujaratહળવદ માળીયા હાઈવે પર બે દિવસ પૂર્વે સર્જાયેલ બસ અકસ્માત મામલે બસ...

હળવદ માળીયા હાઈવે પર બે દિવસ પૂર્વે સર્જાયેલ બસ અકસ્માત મામલે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બે દિવસ પૂર્વે એટલે કે, ગત તા-૨૫/૦૧/૨૦૨૩ ના સવારના સર્જાયેલ અકસ્માત મામલે આખરે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબી હળવદ રોડ પરથી પસાર થતી વેળાએ ખાનગી ટ્રાવેલ્સની બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જે બનાવમાં ગઈકાલે માળીયા મીં. પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા. ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ NL 01 B 2324 નંબરની વોલ્વો બસના ચાલક વીપુલકુમાર રમણલાલ અકાલીયા (રહે.અંબાજી માતાના મંદીર પાસે ધોળકા)એ મોરબી હળવદ રોડ પર વાધરવા ગામ નજીક પોતાની પાસે રહેલ પટેલ વોલ્વો નામની ખાનગી ટ્રાવેલ્સની બસને પલ્ટી મારવી હતી. જેના કારણે 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ બસને પણ ખાસું એવું નુકશાન થયું હતું. જે અંગેની મળતી માહિતી અનુસાર, આરોપી બસનાં ડ્રાઈવરને ઊંઘ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે સમગ્ર મામલે બસના ડ્રાઈવર વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!