Friday, March 29, 2024
HomeGujaratમોરબીનો યુવાન અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળી પરત ન આવતા ફરિયાદ નોંધાઇ

મોરબીનો યુવાન અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળી પરત ન આવતા ફરિયાદ નોંધાઇ

યુવાનની જાણ થાય તો પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી રવાપર ગામના સાનીધ્યપાર્ક સોસાયટી, મારૂતી એપાર્ટમેન્ટની સામે રહેતા લલીતભાઈ અરૂણભાઇ ઠોરીયા ઉ.વ. ૩૬ રહે, ગત તા.૦૯-૦૫-૨૦૨૧ ના રોજ અમદાવાદ કામથી જવાનુ કહીને નીકળી ગયેલ હતા ત્યાબાદ ઘરે પરત આવેલ ન હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તા.૧૧/૦૫/૨૦૨૧ ના ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ અનુસાર ગુમ થનારના સગાસંબંધીઓ દ્વારા અમદાવાદ તપાસ કરતા અમદાવાદ એસ.જી. હાઇવે રાજપથની સામે સર્વીસ રોડ પરથી ગુમ થનાર લલીતભાઈ અરૂણભાઈ ઠોરીયા ની જી.જે.૩૬-એફ.૧૭૭૫ વાળી કાર તેમજ કારમાંથી તેમનો મોબાઈલ મળી આવેલ છે અને ગુમ થનાર મળી આવેલ નથી.

ગુમ થયેલ વ્યક્તિએ શરીરે બ્લૂ કલરનું પેન્ટ તથા ભૂખરા કલરનું ટી શર્ટ પહેરેલ છે. ચહેરો લંબગોળ છે, વાને ઘઉંવર્ણ શરીરે મજબૂત છે. જો કોઈને આવી વ્યક્તિ જેવા મળે તો તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર જાણ કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!