Thursday, May 2, 2024
HomeGujaratવાંકાનેરમાં માટીમાં દટાઈ જતા બાળકના મોતના મામલે કારખાનાનાં માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં માટીમાં દટાઈ જતા બાળકના મોતના મામલે કારખાનાનાં માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ઢુવા ખાતે આવેલ સીગ્નેચર સીરામીકમાં કામ કરતા મજૂરનાં બાળકનું ગત તા.૧૯/૦૨/૨૦૨૩નાં રોજ કારખાનાના માટી ખાતામાં હોપર ખાડામાં પડી જતા માટીમાં દબાઇ જતા મોત મામલે બાળકના પિતાએ કારખાનાના મલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકામાં આવેલ રાતાવિરડા રોસા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા ખુરસીંગ વસુનીયાનો છ વર્ષીય બાળક કાર્તિક ખુરસીંગ વસુનીયા ગત તા.૧૯/૦૨/૨૦૨૩નાં રોજ રાતાવિરડા રોસા સીરામીક કારખાનાની ઓરડીમાં બીજા માળે રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા નીચે પટકાઇ જતા માટીમાં દટાય જતા તેનું મોત થયું હતું. જે મામલે બાળકના પિતાએ સીગ્નેચર કારખાના માલીકો વિરુદ્ધ પોતાના કારખાનામાં યોગ્ય કાળજી કે સૂરક્ષા નહી રાખતા બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!