Thursday, May 2, 2024
HomeGujaratવાંકાનેરના જાલી ગામે કારખાનાના ચોકીદાર પર છરી વડે હુમલો કરાયો

વાંકાનેરના જાલી ગામે કારખાનાના ચોકીદાર પર છરી વડે હુમલો કરાયો

વાંકાનેરના જાલી ગામની સીમમાં અમ્રુતમ કારખાનામાં રાત્રીના સમયગાળા દરમિયાન ઘુસેલા બે શખ્સોએ ચોકીદાર પર હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર અશોકભાઇ રામજીભાઇ ગોરીયા અને તેમના પત્ની અમ્રુતમ કારખાનામા ચોકિદાર તરીકે હતા આ દરમિયાન રાત્રીના સમયે બે અજાણ્યા ઇસમો કારખાનાના પટમા આવી દરવાજો ખખડાવતા ચોકીદારે દરવાજો ખોલ્યો હતી.આ વેળાએ એક શખ્સે છરી વડે કોઇ કારણસર ચોકીદારના છાતીના ડાબા ભાગે ઘા ઝીંક્યો હતો. આથી તેઓએ રાડારાડ કરતા તેમના પત્ની ત્યાં આવી ગયા હતા.આથી પરિસ્થિતિ પારખી બન્ને ઈસમો ભાગી ગયા હતા.આ અંગે અશોકભાઇએ ફરિયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!