Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર ખાતે મસ્જીદમા ઘુસી પરપ્રાંતીય શખ્સે કરી તોડફોડ

વાંકાનેર ખાતે મસ્જીદમા ઘુસી પરપ્રાંતીય શખ્સે કરી તોડફોડ

વાંકાનેર શહેરમાં આવેલ ચાવડી ચોક પાસેની તૈયબી મસ્જીદમાં ઘુસી પરપ્રાંતીય શખ્સે તોડફોડ કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.આ મામલે વાંકાનેર સીટી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં મનસુર મોઈઝભાઈ લાકડાવાલા (ઉ.વ.૩૨ ધંધો વેપાર રહે વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન સામે) એ ફરિયાદ કરી જણાવ્યું કે આરોપી મનીષ શાહ (રહે ગોપાલગંજ બીહાર) તૈયબી મસ્જીદમા ગેર કાયદેસર લાકડી સાથે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મસ્જીદની ઘડીયાળ તથા બારીના કાચ તથા બારીઓમાં લાકડીઓના અડેધડ ઘા ઝીંકી નુકશાન કર્યું હતું ઉપરાંત બેફામ વાણી વિલાસ આચાર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!