Sunday, May 5, 2024
HomeGujaratમોરબી સિરામિક એસોસિએશન દ્વારા પાંચ ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા પાંચ ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે

વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ મોરબી જિલ્લાના મોરબી માળીયા,ટંકારા પડધરી,હળવદ અને વાંકાનેર ના મળી કુલ ચાર અને કાલાવાડ ના ધારાસભ્ય મળી કુલ પાંચ ધારાસભ્યોનું સન્માન કરવા માટેનું આયોજન મોરબી સિરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના તમામ પાંચ નવનિર્વાચીત ધારાસભ્યઓનો ભવ્ય સન્માન આગામી તા. 19/01/2023ના રોજ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં, મોરબી જિલ્લાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ખૂબ જંગી માર્જીનથી જીત મેળવી વિજય પતાકા ફરકાવી છે. મોરબી જિલ્લો અનેક ઔદ્યોગિક એકમોનું હબ છે. ઉદ્યોગજગતના વિકાસ માટે સરકાર તથા ધારાસભ્યોઓનો હંમેશા હકારાત્મક અભિગમ અને પૂર્ણ સહયોગ રહ્યો છે ત્યારે મોરબી સિરામીક એસોસિયેશન દ્વારા મોરબી જિલ્લાના ચાર અને કાલાવાડ ના એક મળી કુલ પાંચ નવનિર્વાચિત ધારાસભ્યોના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.  આ સમારોહ આગામી તા. 19/01/2023ના રોજ પટેલ સમાજ વાડી, શનાળા ખાતે સાંજે 3:30 કલાકે યોજાનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!