Thursday, April 25, 2024
HomeGujaratક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર-મોરબીના સંયુક્ત ઉપક્રમે તા.07 ફેબ્રુઆરીના રોજ સૂર્યનમસ્કાર દિવસ...

ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર-મોરબીના સંયુક્ત ઉપક્રમે તા.07 ફેબ્રુઆરીના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.અને હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭-૨-૨૦૨૨ સોમવાર દિવસે સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે. તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી આપવામાં આવશે. ધો. 6 થી 9માંથી પ્રત્યક્ષ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે. શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન આપ્યું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!