Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહનની ઠોકરે મજૂરનું મોત

મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહનની ઠોકરે મજૂરનું મોત

મોરબી :વાકાનેર મોરબી નેશનલ હાઇવે વીસ નાલાથી મોરબી તરફ આશરે ૨૦૦ મીટર દુર રોડ ઉપર બંધુનગર ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે મજૂરનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પો.સ્ટે.માં ફરીયાદી રામમિલન ત્રિલોકસિંહ લોધી (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.હાલ-લોરેન્જો સીરામીક કારખાનાની ઓરડીમાં લાલપર ગામ પાસે તા.જી.મોરબી મુળ ગામ-કરૈાંદા તા.મહેરોની પોસ્ટ-નૈનવારા જી.લલીતપુર-ઉતરપ્રદેશ) વાળાએ ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૨૨/૦૭/૨૦૨૨ના રોજ વાકાનેર મોરબી નેશનલ હાઇવે વીસ નાલાથી મોરબી તરફ આશરે ૨૦૦ મીટર દુર રોડ ઉપર બંધુનગર ગામ પાસે ફરીયાદીના ફુવાનો કુટુંબી ભાઇ રાજકુમાર ગજરાજસિંહ લોધી (રહે.નાઉઠાના તા.માલથોન જી.સાગર, ઉતરપ્રદેશ) વાળો વાકાનેર મોરબી હાઇવે બંધુનગર ગામ પાસે આવેલ વીસ નાળાથી મોરબી તરફ આશરે ૨૦૦ મીટર રોડ ઉપર ચાલીને જતો હોય ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી રાજકુમાર ગજરાજસિંહ લોધીને હડફેટ લઇ એક્સીડન્ટ કરી માંથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ વાહન લઇ નાસી છૂટ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!