Saturday, April 20, 2024
HomeGujaratમોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે કારખાનામાં છત પરથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે કારખાનામાં છત પરથી પડી જતા શ્રમિકનું મોત

આ બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ બાલાજી ઑટૉપેક નામના કારખાનાના લેબર ક્વાર્ટર માં રહતા અને ત્યાંજ મજૂરી કામ કરતા વિનોદકુમાર રામેશ્વર ચમાર (ઉ.વ ૩૯ મુ.રહે.ગામ હિડઇન પોસ્ટ બરગદહા તા.હરચંદ પૂર જી.રાયબરેલી ઉત્તરપ્રદેશ) નામના શ્રમિક ગઈકાલે ક્વાર્ટર ના છત પર સુતા હતા તે દરમિયાન સવારના પાંચેક વાગ્યા આસપાસ કોઈ કારણોસર ઊંઘમાં છત પરથી નીચે પડી જતા તેમને પ્રાથમીક સારવાર અર્થે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!