Saturday, May 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઇવે પર ફેકટરીમાં ભીષણ આગ લાગી

મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઇવે પર ફેકટરીમાં ભીષણ આગ લાગી

મોરબીમાં આગ લાગવાની ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ત્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઇવે પર વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં સરોવર પોર્ટિકો હોટેલની નજીક આવેલી ફેકટરી આગની ઝપેટમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઇવે પર સરોવર પોર્ટિકો હોટેલની નજીક આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વિનાયક કોર્પોરેશન નામની પ્લાસ્ટિકની ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. અને હાલ જાનહાનીનાં કોઈ સમાચાર સામે આવ્યા નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!