Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે નવયુગ સંકુલ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિની ઉપસ્થિતિમાં વેક્સીનેશન સંદર્ભે મીટીંગ...

મોરબીમાં આવતીકાલે નવયુગ સંકુલ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિની ઉપસ્થિતિમાં વેક્સીનેશન સંદર્ભે મીટીંગ યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઝડપી વેક્સીનેશન થાય અને રાજ્યના દરેક નાગરિક વેક્સીન લે તે માટે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જે ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ અને પરિવારજનો કોરોનાની મહામારીમાં રક્ષણ મેળવે તે માટે કોરોના વેક્સીનેશન અભિયાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેક્સીનેશન અભિયાન અંગે મોરબીના વીરપર નજીક નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે આવતીકાલે તા. ૦૭ ના રોજ સવારે ૧૦ : ૪૫ કલાકે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેશે. જે મીટીંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોનાં આચાર્યોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!