Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા મી.ત્રણ રસ્તા નજીક નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે આવી જતા...

માળીયા મી.ત્રણ રસ્તા નજીક નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે આવી જતા આધેડનું મોત

આજકાલ લગ્નસરાની સીઝનમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કચ્છ મોરબી નેશનલ હાઇવે પર એક આધેડને અકસ્માત નડ્યો હતો. જેમાં અજાણ્યા વાહનની હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ કચ્છ મોરબી નેશનલ હાઇવે પર માળીયા મી. ત્રણ રસ્તા પાસે આવેલ ઓવર બ્રીજ પરથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે અંગે રાહદારીઓએ માળીયા મીં. પોલીસને જાણ કરતા તેઓએ સ્થળ પર આવી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. તેમજ બનાવ અંગે પૂછપરછ કરતા લોકોએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા વાહનની હડફેટે આવી જતા બનાવ બન્યો છે, ત્યારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!