Saturday, May 11, 2024
HomeGujaratમોરબીના આધેડએ માનસિક બીમારી તથા ગળાની બીમારીથી કંટાળી મચ્છુ-૨ ડેમમાં લગાવી મોતની...

મોરબીના આધેડએ માનસિક બીમારી તથા ગળાની બીમારીથી કંટાળી મચ્છુ-૨ ડેમમાં લગાવી મોતની છલાંગ

મોરબીના શનાળા રોડ સત્યમ પાનવાળી શેરીમાં રહેતા આધેડને માનસિક બીમારી તથા ગળામાં ગેસગનનો ગેસ લાગી જવાથી બોલવાની તકલીફ થતી હોય જેને લઇ બંને બીમારીથી કંટાળી સોનીકામ કરતા આધેડે સ્યુસાઇડ નોટ લખી મચ્છુ ડેમ-૨માં ઝંપલાવતા તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાનવાળી સગેરીમાં આવેલ પુનિતનગરમાં રહેતા મનોજભાઇ ઉર્ફે લાલો જયંતીભાઇ રાણપરા ઉવ.૪૪ જેઓને છેલ્લા અઢારેક વર્ષથી માનસીક બીમારી હોય જેની દવા ચાલુ હોય તેમજ આજથી આશરે આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતા સમયે સોનુ ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગયેલ જેના કારણે વ્યવસ્થીત સમજી શકાય તેમ બોલી નહીં શકવાની તકલીફ રહી ગયી હોય ત્યારે આ બંને બીમારીથી કંટાળી જઇ મનોજભાઈ ઉર્ફે લાલો એ જોધપર(નદી) ગામ નજીક મચ્છુ-૦૨ ડેમના સ્લીપ-વે બ્રિઝ ઉપર પોતાના ચંપલ-મોબાઇલ તથા પાકીટમાં સ્યુસાઇડ નોટ મુકી ડેમના પાણીમાં પોતે પોતાની જાતે ઝંપલાવી આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બના અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી કાયદેસરની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!