Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેરના પાંચદ્રારકા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અરજી કરનારને બે ઈસમોએ માર...

વાંકાનેરના પાંચદ્રારકા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અરજી કરનારને બે ઈસમોએ માર માર્યો

મોરબી જિલ્લામાં મારા મારી ના બનાવો રોજ બરોજ સામે આવી રહ્યા છે અને અમુક અસામાજિક તત્વો જિલ્લાની શાંતિને હણવાનો પૂરેપૂરો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે વાંકાનેરના પાંચદ્રારકા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અરજી કરનાર યુવકને અમુક અસામાજિક તત્વોએ માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં પાંચદ્રારકા ખાતે રહેતા પરબતભાઇ બચુભાઇ પાંચીયા નામના યુવાને તેના ગામમાં આવેલ ગૌચરની જમીન પર અમુક ઈસમોએ કબ્જો જમાવી લીધો હોય જે ખુલ્લી કરાવવા ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરેલ હોય, જેનું મનદુઃખ રાખી તેના જ ગામના રિયાજ ખલુભાઇ બાદી તથા ખલુભાઇ મામદજલાલભાઇ બાદી નામના બે ઈસમોએ એકસંપ કરી ફરીયાદીને ગાળો આપી, રિયાજ ખલુભાઇ બાદીએ ફરીયાદીને પાવડા વડે ડાબા પગમાં મુંઢ ઇજા કરી, તેમજ ખલુભાઇ મામદજલાલભાઇ બાદીએ લાકડીથી વાસામાં મુંઢ ઇજા કરી ફરિયાદી પરબતભાઇ બચુભાઇ પાંચીયાને ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. તેમજ સમગ્ર મામલે બંને ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!