Thursday, April 25, 2024
HomeGujaratચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો-નિશાનીઓ લખવા પર નિયંત્રણ કરતું જાહેરનામું...

ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો-નિશાનીઓ લખવા પર નિયંત્રણ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપી છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઇ પણ મિલ્કત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. પરંતુ જો કોઇ અન્ય જાહેર સ્થળે સ્થાનિક કાયદો સુત્ર લખવા, પોસ્ટર્સ લગાડવા કે કટઆઉટ, હોર્ડિંગ્ઝ બેનર્સ વગેરે ચૂકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની પરવાનગી આપતો હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કોઇ પણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકસાન કરવુ નહીં કે કરવા દેવુ નહીં.

જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરી કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!