Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડ પર આવેલ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ નશાકારક શિરપનો જથ્થો...

મોરબીના લીલાપર રોડ પર આવેલ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ નશાકારક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરના લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપનો જથ્થો ઝડપાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીના લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શક્તિ કિરાણા સ્ટોર રસિકભાઈ બચુભાઈ ભડાણીયાની દુકાનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી સીરપની બોટલ નંગ ૭૦ કિંમત રૂપિયા ૧૦,૫૦૦ નો જથ્થો મળી આવતા તે જથ્થો કબજે કરી એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે. આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શિરપ નો જથ્થો મોરબીના જ કપિલભાઈએ મોકલ્યો હોવાનું ખુલતા તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે તેમજ ઝડપાયેલ જથ્થા ના સેમ્પલ લઈને એફએસએલ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે જે રીપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!