Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તલાટી મંડળ દ્વારા તિરંગા યાત્રા યોજી મહાદેવ ને અરજ કરાઈ

મોરબી તલાટી મંડળ દ્વારા તિરંગા યાત્રા યોજી મહાદેવ ને અરજ કરાઈ

મોરબીમાં સરકારને સદબુદ્ધિ મળે તે માટે જડેશ્વર મહાદેવ સુધી તિરંગા યાત્રા કરી તલાટીઓ દ્વારા જડેશ્વર મહાદેવ ખાતે પત્ર લખી અરજી કરી છે અને આ માંગણી ઝડપથી પૂરી થઈ હડતાળ પૂર્ણ થાય તેવી મનોકામના કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં સરકારને સદબુદ્ધિ મળે તે માટે જડેશ્વર મહાદેવ સુધી હાલ હડતાલ ઉપર રહેલા તલાટીઓ તિરંગા યાત્રા યોજી હતી.હડતાળ પર રહેલા તલાટી ઓ દ્વારા વંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ ને પ્રાર્થના પત્ર અર્પણ કર્યું હતું મોરબી જિલ્લાના તલાટીઓ જડેશ્વર મહાદેવને શરણે પહોંચી તેઓની માંગણી જલદી પૂરી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથેસાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી હડતાળ ના પગલે ગ્રામ્ય પંથકના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ હડતાળ ઝડપથી સમેટાઈ અને પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે તલાટી મંડળ મોરબી દ્વારા અનોખો પ્રયોગ કરી સરકાર સુધી પોતાની વાત પહોચાડવા નો પ્રયત્ન કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!