Sunday, May 5, 2024
HomeGujaratટંકારાના હમીરપર નજીક કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા શ્રમિકનું મોત નીપજ્યું

ટંકારાના હમીરપર નજીક કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા શ્રમિકનું મોત નીપજ્યું

ટંકારા તાલુકાના હમીરપર નજીક કારખાનામાં કામકાજ દરમિયાન ચક્કર આવતા પડી ગયેલા શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હમીરપર પાટીયા પાસે આવેલ પ્લેઝર પોલિપેક નામના કારખાનામા શ્રમિક મનિષ ઇન્દ્રભાઇ પાલ (ઉ.વ.૧૮) કામ કરતા હતા આ દરમિયાન તેઓને એકાએક ચકકર આવતા તે નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હોવાનું પડધરી સરકારી હોસ્પિટલના તબીબે જાહેર કર્યું હતું. જે ને પગલે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!