Sunday, April 28, 2024
HomeGujaratવાંકાનેરના વાંકીયામાં એસિડ ગટગટાવી લેતા યુવાનનું સારવારમાં મૃત્યુ

વાંકાનેરના વાંકીયામાં એસિડ ગટગટાવી લેતા યુવાનનું સારવારમાં મૃત્યુ

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે એસિડ ગટગટાવી લેતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયા અંગેનો બનાવ સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના વાંકીયામાં રહેતા કેતનભાઇ વનજીભાઇ એરણીયા (ઉ.વ.૩૫) ગત તા.૦૪ના રોજ સવારના આશરે નવેક વાગ્યેના આસપાસ પોતાની વાડીએ ગયેલા હતા. આ દરમિયાન તેઓએ કોઇપણ કારણોસર બાથરૂમ ધોવાનુ એસીડ પી લેતા તેની જાણ થતા લોકોને થતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં વધુ સારવારની જરૂર જણાતા સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તકે સારવાર કારગત ન નિવડતા ફરજ પરના ડોકટરે તેઓનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!