Friday, May 3, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામે સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ મોતને...

મોરબીના રંગપર ગામે સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

મોરબી જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીના રિવો સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા એક યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વિરાટનગર (રંગપર) ગામની સીમમાં આવેલ રિવો સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મહેશભાઇ લીલાકિશન પુરબીયા નામના ૨૬ વર્ષીય યુવકે ગઈકાલે કોઇ પણ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ તેના પત્ની પુજાબેન તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!