Friday, March 29, 2024
HomeGujaratABVP મોરબી દ્વારા જાહેર સ્થળો તેમજ સરકારી કચેરીઓમાં સેનીટાઈઝિંગ અભિયાન હાથ ધરાયું

ABVP મોરબી દ્વારા જાહેર સ્થળો તેમજ સરકારી કચેરીઓમાં સેનીટાઈઝિંગ અભિયાન હાથ ધરાયું

વૈશ્વિક મહામારી કેરોનાએ મોરબીને ભરડામાં લીધું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સેનીટાઇજીંગ અભિયાન હાથ ધરાયું છે જેમાં મોરબી શહેરનાં જૂના બસ સ્ટેન્ડ ,નવા બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, શાક માર્કેટ, સુપર માર્કેટ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી, મહારાણા પ્રતાપ સર્કલ ચોક, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સેનીટાઈઝિંગ કરાયું હતું. આ કાર્ય માં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ૨૫ થી પણ વધુ સ્વયંસેવક કાર્યકરો જોડાયા હતા. સેનીટાઈઝેશન અભિયાન અંતર્ગત એબીવીપી મોરબીની આ પહેલને મોરબી OMVVIM કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગણેશીયા તેમજ OSEM વિદ્યાલય દ્વારા પુસ્તક ભેટ આપી બિરદાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!