Friday, March 29, 2024
HomeGujaratહળવદ નજીક એસટી બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત : સદનસીબે જાનહાની ટળી

હળવદ નજીક એસટી બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત : સદનસીબે જાનહાની ટળી

અકસ્માતનાં આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી અનુસાર મહીસાગર જીલ્લાના ભાણાસીમલના સંતરામપુર ગામે રહેતા ઝાલોદ ડેપોમાં ફરજ બજાવતા શૈલેષભાઇ રામાભાઇ ડામોર (ઉ.વ.૩૧) એ ઝાલોદ એસ.ટી ડેપોના ડ્રાઇવર આરોપી નાથાભાઇ વીરાભાઇ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે હળવદ માળીયા હાઇ-વે રોડ ઉપર હરીદર્શન હોટલ સામે ગઈકાલે તા.૧૨ ના રોજ આરોપી નાથાભાઇ વીરાભાઇ તડવીએ એસ.ટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૧૬૩ પુરઝડપે અને બેદરકારીપૂર્વક મુસાફરોની તથા અન્ય લોકોની જાન જોખમાય તે રીતે ચલાવી આગળ જતા ટ્રેઇલરના પાછળના ભાગમાં ભટકાડી બસને નુકસાન કર્યું હતું સદનસીબે જાનહાની ટળી હતી. હળવદ પોલીસે અકસ્માતના આ બનાવની ફરિયાદ નોંધી આરોપી એસટી બસચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!