Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં અધિક કલેકટરનો આદેશ:બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના અધિકારી/કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવું નહીં

મોરબીમાં અધિક કલેકટરનો આદેશ:બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના અધિકારી/કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવું નહીં

કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવી

- Advertisement -
- Advertisement -

હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ના દરમિયાન જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. જેથી તકેદારીના ભાગરૂપે દરીયાઇ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારની નજીક રહેતાં/ધસતાં લોકોને સાવચેત કરવા તથા અસરગ્રસ્ત લોકોની સાથે સતત સંપર્કમાં રહી જરૂર જણાય તો સ્થળાંતર કરવા સુચના આપવામાં આવી છે. જેથી તમામ અધિકારી/કર્મચારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં સાવચેતીનાં પગલાં લેવા અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેસૂલી તલાટીઓ, તથા તલાટી કમ મંત્રીઓ(પંચાયત) તેઓના હેડકવાર્ટર ખાતે ફરજિયાત હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં ઉકત સુચનાનું પાલન ન દે કરનાર અધિકારી/કર્મચારીઓ સામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૩ની કલમ ૩૮(૧) મુખ્ય કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવશે. જેની તમામ અધિકારી/કર્મચારીએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!