Saturday, May 4, 2024
HomeGujaratચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરના સમયમા કરાયો ફેરફાર : જાણો ક્યારે કરી...

ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરના સમયમા કરાયો ફેરફાર : જાણો ક્યારે કરી શકશો માતાના દર્શન.

નવરાત્રીમાં અંબાજી દર્શને જતા દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામા આવેલા અંબાજી માતાના મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમા ફેરફાર કરાયો છે. જે ચૈત્રી સુદ એકમથી ફેરફાર લાગુ થશે. જેમાં 22-3-2023 ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જે બાદ એકમથી આરતીનો સમય સવારે 7:00 થી  7:30નો રહેશે. ત્યારબાદ દર્શન સવારે 7:30 કલાકથી શરુ થશે જે સવારે 11:30 સુધી થઇ શકશે. અને તે બાદ બપોરે દર્શન 12:30 થી 4:30 દર્શન કરી શકાશે. જયારે સવારે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7:00 સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. ત્યારબાદ સાંજે 7:00 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ચૈત્રી નવરાત્રીમાં સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે. તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!