Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીનાં ઉમા ટાઉનશીપમાં રહેતા વૃદ્ધાનો એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આપઘાત

મોરબીનાં ઉમા ટાઉનશીપમાં રહેતા વૃદ્ધાનો એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આપઘાત

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા લાભુબેન વલ્લભભાઈ દુદાણી(ઉ.વ.૬૫)એ બુધવારે સવારના સમયે માધવ હાઇટ્સના છઠ્ઠા માળે આવેલા પોતાના રહેણાંક ફ્લેટમાંથી નીચે ઝંપલાવતા તેઓનું મોત થયું હતું. હોસ્પિટલમાંથી બનાવની જાણ મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર મૃતકના પતિનું આશરે છએક માસ પૂર્વે નિધન થતા મૃતક વૃદ્ધા ગામડેથી પરિવાર સાથે મોરબી રહેવા આવી ગયા હતા. જ્યાં તેઓ સતત પતિના મૃત્યુના આઘાતમાં રહેતા હોય ડિપ્રેશન જેવી અવસ્થામાં આવી ગયા હતા. આ સ્થિતિમાં તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની વધુ તપાસ મોરબી બી ડીવીઝન પોલીસ મથકનાં એએસઆઈ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!