Friday, April 19, 2024
HomeGujaratમોરબી IMA દ્વારા તબીબ ,સ્ટાફ અને દર્દીઓના સગાઓ માટે મહત્વની જાહેરાત કરાઈ

મોરબી IMA દ્વારા તબીબ ,સ્ટાફ અને દર્દીઓના સગાઓ માટે મહત્વની જાહેરાત કરાઈ

મોરબી જીલ્લામાંમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સાંજે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ આગામી30 એપ્રિલ સુધી લાદવામાં આવ્યું છે જેમાં પોલીસ દ્વારા રાત્રી કરફ્યુના અમલ સમયે અનેક લોકો દવાખાનાના બહાના હેઠળ ટહેલવા નીકળી પડે છે જેમાં સાચા લોકો પીસાઈ છે ત્યારે આ મામલે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ પણ તમામ ડોક્ટરો અને હોસ્પિટલ મેનેજમેન્ટને રાત્રીના લોકો ઓછા નીકળે એ માટે વ્યવસ્થા કરવા અપીલ કરી હતી જેના ભાગ રૂપે આજે મોરબી IMA દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એશો.દ્વારા ડોક્ટરો અને હોસ્પિટલ તેંમજ તબીબી સેવાઓ સાથે જોડાયેલા તમામ લોકોને પોતાની સાથે જે તે મેનેજમેન્ટ દ્વારા આપેલા આઈડી કાર્ડ સાથે રાખવા અને દર્દીઓના સગાઓને પણ પોલીસે જાહેર કરેલા નિયમો મુજબ પોતાના આઈ કાર્ડ સાથે રાખવા જરૂરી છે અને સાથે જ બને એટલું કામ વિના બહાર ન નીકળવા પ્રયત્નો કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ સાથે જ મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા અને IMA દ્વારા આ મહામારી સામે લડવા લોકો પોતાની નૈતિક ફરજ સમજી નિયમોનું પાલન કરે અને પોલીસને પણ સાથ આપી પોતાની જવાબદારી સમજી જાગૃત રહે અને સાથ આપે તેવી પણ નમ્ર અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!