Saturday, May 4, 2024
HomeGujaratલેન્ડ ગ્રેબિંગ ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીઓની ધરપકડ

લેન્ડ ગ્રેબિંગ ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીઓની ધરપકડ

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ વિરુદ્ધ રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોશીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીઓ આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી તથા રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં ગેરકાયદેસર કબ્જો જમાવી પોતાના અંગત ફાયદા સારૂ ઉપયોગ કરતાં હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દઈને બંને આરોપીના જામીન નામંજૂર કર્યા હતાં અને જેને પગલે બંને આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામી રહે બંને રેલ્વે સ્ટેશન રોડ જડેશ્વર મંદિર વાળાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!