Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં ઉછીના પૈસા આપવાની નાં પાડતા વેપારી ઉપર હુમલો

વાંકાનેરમાં ઉછીના પૈસા આપવાની નાં પાડતા વેપારી ઉપર હુમલો

મારામારીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના માટેલ મંદીર પાસે રહેતા વેપારી જયદીપભાઇ હેમંતભાઇ કુણપરા (ઉ.વ. ૨૮) એ આરોપીઓ બદીયો કેશરભાઇ, સુનીલ, અનીલ, નીકો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૫ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં માટેલ રોડ એરકોન સીરામીક પાસે ચાંમુડા મોબાઇલની દુકાને એક આરોપીએ જઇ ઉછીના પૈસા માગતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારે સાહેદ હીરાભાઇ વચ્ચે પડી ફરીયાદીને બચાવ્યા હતા પણ એટલી વારમા અન્ય આરોપીઓ આવી જતા આરોપીઓએ હાથમાં રહેલ પાઇપ વડે ફરીયાદીને માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!