Wednesday, May 8, 2024
HomeGujaratવાંકાનેરમાં બાળકીનું સાપ કરડી જતા મોત : મોરબીમાં ઘરમાંથી કોહવાયેલી હાલતમાં વૃદ્ધનો...

વાંકાનેરમાં બાળકીનું સાપ કરડી જતા મોત : મોરબીમાં ઘરમાંથી કોહવાયેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મોરબીમાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં વાંકાનેરમાં બાળકીનું સાપ કરડી જતા મોત નીપજ્યું હતું. જયારે મોરબીમાં વૃદ્ધની ડીકમ્પોઝ થયેલ લાશ મળી આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેરમાં પંચાસીયા ગામની સીમ સોયબભાઈ માથકીયાની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની ૦૫ વર્ષીય દીકરી સુહોની જયંતીભાઈ ફાંકલીયાને ગઈકાલે બપોરના સમયે સાપ કરડતા તેને તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબીની વાઘપરા શેરી ૧ ખાતે રહેતા સામતભાઈ રવાભાઈ ડાંગર નામના વૃધ્ધ એકલવાયુ જીવન જીવતા હોય અને ગત તા.૨૫/૦૫/૨૦૨૩ ના પોતાના ઘરે મરણ ગયેલ હોય અને તેની લાશ ડીકમ્પોઝ થઈ ગયેલ હોય જેની મૃતકના સગાને જાણ થતા તેઓએ મૃતકના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાંથી ફોરેન્સીક પી.એમ. અર્થે લાશ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ડોક્ટરે મૃતદેહનો પી.એમ કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!