Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના બહાદુરગઢ ગામે દૂધ લેવાની બાબતે વેપારીને ત્રણ શખ્સોએ માર મારી જાનથી...

મોરબીના બહાદુરગઢ ગામે દૂધ લેવાની બાબતે વેપારીને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બહાદુરગઢ ગામે રહેતા અને પાન બીડીનો વેપાર કરતા જેશીંગભાઇ ભારમલભાઇ ખાંભરા (ઉ.વ.૫૨) એ આરોપીઓ મેહુલભાઇ પોપટભાઇ રાવા, પોપટભાઇ વિરાભાઇ રાવા, હિતેશભાઇ ગગુભાઇ રાવા (રહે.ત્રણેય બહાદુરગઢ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાંબહાદુરગઢ ગામે ભરવાડ શેરીમાં ફરીયાદીના પત્નિ તથા પુત્ર સાથે આરોપીએ દુધ લેવા બાબતમાં માથાકુટ કરતા ફરીયાદી આવી જતા આરોપીએ ફરીયાદીને લાકડાના ધોકા વતી ફરીયાદીને ડાબા પગના સાથળમાં એક ઘા મારી ઇજા કરી હતી. તેમજ ઝપાઝપી કરતા જમણા હાથની આંગળીમાં કાઇક વાગી ગયેલ અને બીજા આરોપીએ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે એક ઘા મારી ઇજા કરતા રાડો-દેકારો થતા ત્રીજો આરોપી આવી જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!