Saturday, May 4, 2024
HomeGujaratરાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભવાનીસિંહ દેથાની નિમણુક કરાઈ

રાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભવાનીસિંહ દેથાની નિમણુક કરાઈ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓબ્‍ઝર્વર તરીકે ભવાનીસિંહ દેથાની નિમણુક કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ તા ૨૦ એપ્રિલ – લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ભવાની સિંહ દેથાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ થી સવારે ૧૦ થી ૧૧ દરમિયાન સર્કિટ હાઉસ, રાજકોટ ખાતે રાજકીય પ્રતિનિધિઓ તથા જાહેર જનતાને મળી શકશે. તેઓના સંપર્ક નંબર ૦૨૮૧-૨૯૯૦૧૭૮ છે જેની સંબંધિતોને નોંધ લેવા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!