Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં બાઇકની ઠોકરે વૃદ્ધ કાળનો કોળિયો બન્યા

મોરબીમાં બાઇકની ઠોકરે વૃદ્ધ કાળનો કોળિયો બન્યા

મોરબીમા બેફામ સ્પીડે આવતી બાઈકના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક કાંતી જયોત સોસાયટીના રસ્તેથી પસાર થઈ રહેલા મગનભાઇ નરશીભાઇ સંઘાણી (ઉવ-૬૯)નામના વૃદ્ધને બાઈક નં. જીજે-૩૬-જે-૫૫૦૯ ના ચાલક આડેધડ જોયા વગર બાઈક ચલાવીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આરોપી બાઈક મૂકી ને નાશી છૂટ્યો હતો આ અકમસ્તમાં વૃદ્ધને બંને પગમા ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

જે બનાવને લઈને મૃતકના દીકરા ઉપેન્દ્રભાઇ મગનભાઇ સંઘાણી (ઉ.વ-૪૦ ધંધો-વેપાર રહે.હાલ –મોરબી-ર પ્રભુ કૃપા ટાઉનશીપ ફોર સ્કેવર-ર ફલેટ નં-૨૦૧)એ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!