Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ફલોરા 158 ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 64 બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબીમાં ફલોરા 158 ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 64 બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબી: 23 માર્ચના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી. જેથી 23 માર્ચને શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે વીર શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. ત્યારે મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની સામે આવેલ ફલોરા 158 કો.ઓપરેટીવ સોસાયટીમાં આજે શહિદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર તથા ક્રાંતિકારી સેના મોરબી અને સિવિલ હોસ્પિટલના ડો.કપિલ બાવરવા દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રક્તદાન કેમ્પની શરૂઆતમાં ફ્લોરા 158ના પ્રમુખ પરેશભાઇ મેરજા તથા ડો.કપિલ બાવરવા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. તેમજ આ કેમ્પમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, ક્રાતિકારી સેના, અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ફલોરા 158 પરિવાર દ્વારા ઉત્સાહ પુર્વક રક્તદાન કર્યું હતું. અને64 જેટલી રક્તની બોટલ એકત્રિત કરાઇ હતી. આ તકે ડો.કપિલ બાવરવાએ સહયોગ આપનાર સંસ્થા સાથે 158 ફ્લોરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ રક્ત જરૂરિયાતમંદ દર્દીને ઉપયોગમાં લેવાશે તેમ જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ફલોરા 158ના પ્રમુખ પરેશભાઈ મેરજા તેમજ ફલોરા કમીટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!