Friday, April 19, 2024
HomeGujaratહળવદ ખાતે બ્રહ્મચોર્યાસી અને સન્માન સમારોહનું આયોજન કરાયું

હળવદ ખાતે બ્રહ્મચોર્યાસી અને સન્માન સમારોહનું આયોજન કરાયું

હળવદ ઔદિચ્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે બ્રહ્મચોર્યાસી અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.પ્રભાશંકર મોહનલાલ જોષી તથા સ્વ. હિરાબેન પ્રભાશંકર જોષી પરિવાર તેમજ હળવદના પનોતા પુત્રો દેવાંગભાઈ અને ચેતનભાઈ ( પ્રમુખહળવદ ભવન ટ્રસ્ટ – અમદાવાદ) અને સમસ્ત જોષી પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ભવન ટ્રસ્ટ – અમદાવાદ આયોજીત સન્માન સમારોહમાં હળવદ બ્રહ્મરત્ન ” વિજયભાઈ ચંદ્રવદનભાઈ જાની (મોરબી જીલ્લા સરકારી વકીલ તેમજ પુર્વ પ્રમુખબ્રહ્મસમાજ – હળવદ) અને જીજ્ઞાશુભાઈ (મુન્નાભાઈ) બાબુભાઈ પંચોલી (પ્રમુખશ્રી બ્રહ્મસમાજ – હળવદ તથા યુવા ઉદ્યોગપતી)ઓનું સન્માન કરવામાં આવશે.

ફોટોજર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેશે.તથા ડો. જગદિશભાઈ ત્રિવેદી (હાસ્ય કલાકાર) ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં આગામી તા. 12ને શનિવારે શિવ મહિમ્ન સ્તોત્રમાં શરણનાથ યુવક મંડળ, હળવદ તથા જયમંતભાઈ દવે ભજનોની રમઝટ બોલાવશે. અને તા.13ને રવિવારે બ્રહ્મચોર્યાસી તા.૧૩-૦૩-૨૦૨૨ને રવિવાર સાંજે ૫-૩૦ કલાકે, અને સન્માન સમારંભ રવિવારે રાત્રે ૮-૦૦ યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!