Tuesday, May 21, 2024
HomeGujaratટંકારાના હિરાપર નજીક કાર પલ્ટી ખાઈ જતા દ્રારકા દર્શન કરી પરત ફરતા...

ટંકારાના હિરાપર નજીક કાર પલ્ટી ખાઈ જતા દ્રારકા દર્શન કરી પરત ફરતા મોરબીન પરીવારના પાંચ ઈજાગ્રસ્ત:બે ના મોત

ટંકારા લતિપર રોડ ઉપર વહેલી સવારે દ્રારકા દર્શન કરી પરત ફરતા બારોટ પરીવાર ને નડયો અકસ્માત ધટના સ્થળે બે ના મોત પાંચ ને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડયા. હિરાપર ના પાટીયા પાસે અચાનક અલ્ટો કાર કાબુ ગુમાવી રોડ નિચે પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા થી લતિપર રોડ ઉપર હિરાપર ના પાટીયા પાસે જીજે-36-એફ-0720 નંબર ની અલ્ટો કાર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર રોડ નિચે પલટી ખાઈ જતાં કારમાં સવાર 7 લોકોઉ પૈકી ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ ઉ. વ 39, એમના પત્ની જલ્પાબેન ઉ. વ. 30, અને 3 પુત્રી આસ્થા ઉ. વ 9 , તુલસી ઉ. વ 5, જીનલ ઉ. વ 1 ને ઈજા થતા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જયારે કારમાં સવાર પૈકી નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ ઉ. વ 65 અને ગૌરીબેન રામકુમાર રેણુકા ઉ. વ 70 નુ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત નો ભોગ બનનાર મુળ સુરેન્દ્રનગર ના અને હાલ રહે બધા મોરબી ધુંટુ રામકો વિલેજ વાળા બારોકજી પરીવારના છે તેઓ દ્રારકા દર્શન કરી ધરે પરત ફરતા હતા ત્યારે ટંકારા નજીક અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ભાસ્કર વિરસોડિયા એ ટંકારા પોલીસ ને જાણ કરતા બિટના જમાદાર ઈમ્તિયાઝભાઈ ઝામ અને સાગરભાઈએ તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!