Saturday, May 18, 2024
HomeGujaratમોરબી જીલ્લા સરકારી વકીલ કચેરી દ્વારા ઉજવાશે બંધારણ દિવસ

મોરબી જીલ્લા સરકારી વકીલ કચેરી દ્વારા ઉજવાશે બંધારણ દિવસ

આવતીકાલે ૨૬ નવેમ્બરને સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.જેને લઈ ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન- ગાંધીનગર, ગુજરાત રાજયના ઉપક્રમે મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉજવણી શ્રી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ ખાતે આવતીકાલે તા,૨૬/૧૧/૨૦૨૩, રવિવારે સવારે ૦૯:૦૦ વાગ્યાથી ૧૨.૩૦ સુધી કરવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં તમામ વકીલોને હાજર રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડયાના પ્રમુખ સ્થાને આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બીજા એડીશ્નલ સેશન્સ જજ વિ.એ.બુધ્ધ દ્વારા કરવામાં આવશે તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!