Saturday, April 27, 2024
HomeGujaratકોરોના જીવલેણ બન્યો આજે નવા 53 કેસ નોંધાયા:વધુ એક વૃધ્ધનું મોત

કોરોના જીવલેણ બન્યો આજે નવા 53 કેસ નોંધાયા:વધુ એક વૃધ્ધનું મોત

મોરબીમાં આમ તો છેલ્લા કેટલાક દિવસ થયા કોરોના ના કેસો માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મોરબી જિલ્લામાં કોરોના ના કારણે આજે વધુ એક મોત થયું છે.

- Advertisement -
- Advertisement -

આજરોજ નોંધાયેલા કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૨૧ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ કેસ વાંકાનેર શહેર વિસ્તારમાં ૦૧ કેસ, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ, હળવદ શહેર વિસ્તારમાં ૦૧ કેસ, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસઅને ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેશ નોંધાયા હતા.

જ્યારે જિલ્લામાં ૧૧૯ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૮૭ વાંકાનેરમાં ૧૫, હળવદ માંથી ૦૨,ટંકારામાંથી ૧૨ અને માળિયામાથી ૦૩ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૫૬૪ થયો છે.

વધુમાં આજે મોરબી શહેરી વિસ્તારના રહેવાસી ૬૩ વર્ષીય વૃદ્ધ નું કોરોના ના કારણે મૃત્યુ થયેલ છે કોરોના ની સાથે તેઓને જૂની કેન્સરની બીમારી પણ હતી. અને હાલમાં તેઓ કેમોથેરાપી ની સારવાર લઇ રહ્યા હતા તેઓએ કોરોના રસી ના બંને ડોઝ લીધા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!