Tuesday, June 2, 2026
HomeGujaratમોરબીના દર્શનભાઈ દવેની મોરબી નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક

મોરબીના દર્શનભાઈ દવેની મોરબી નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક

મોરબીના યુવા એડવોકેટ અને રેવન્યુ પ્રેક્ટિશનર દર્શનભાઈ ડી. દવેની શ્રી મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ બેંકના કાયદાકીય કામો, ટાઇટલ સર્ચ, મોર્ગેજ ડીડ અને વસૂલાત પ્રક્રિયા સહિતની કામગીરી સંભાળશે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના યુવા, ઉત્સાહી અને કર્મનિષ્ઠ એડવોકેટ તથા રેવન્યુ પ્રેક્ટિશનર દર્શનભાઈ ડી. દવેની શ્રી મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ તેઓ આગામી સમયમાં બેંકના વિવિધ કાયદાકીય અને રેવન્યુ સંબંધિત કાર્યોમાં સેવા આપશે. બેંક તરફથી તેમને દસ્તાવેજ ચકાસણી, ટાઇટલ સર્ચ રિપોર્ટ, મોર્ગેજ ડીડ, ધિરાણ સંબંધિત પ્રક્રિયા તેમજ વસૂલાતના કાયદાકીય કામોની જવાબદારી સોંપવામાં આવી છે.

દર્શનભાઈ દવે છેલ્લા દાયકાથી મોરબી જીલ્લામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ એલએલ.બી.માં ફર્સ્ટ ક્લાસ સાથે પદવી પ્રાપ્ત કરી છે અને ખાસ કરીને રેવન્યુ મેટર્સ, સિવિલ લિટીગેશન, બેંકિંગ કાયદા તથા પ્રોપર્ટી ડોક્યુમેન્ટેશન ક્ષેત્રે વિશેષ નિપુણતા ધરાવે છે. મોરબી મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીમાં રેવન્યુ પ્રેક્ટિસનો બહોળો અનુભવ ધરાવતા દર્શનભાઈ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, યુવા અને ટેક્નો-સેવી એડવોકેટને પેનલમાં સામેલ કરવાથી બેંકની કાયદાકીય પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને મજબૂત બનશે. સાથે જ તેમની રેવન્યુ બાબતોની ઊંડી સમજ બેંકના ધિરાણ અને વસૂલાતના કામોમાં ઉપયોગી સાબિત થશે.

આ નિમણૂંક બદલ મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, વિવિધ સામાજિક સંસ્થાઓ તથા શુભેચ્છકો દ્વારા દર્શનભાઈ દવેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!