Wednesday, May 8, 2024
HomeGujaratહળવદનાં ટીકર ગામે પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

હળવદનાં ટીકર ગામે પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

હળવદનાં ટીકર ગામે પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પતિ-પત્નીના મોતથી ત્રણ બાળકો રઝળી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, હળવદનાં ટીકરમાં રણની ઢસીએ શૈલેષભાઈ નાગરભાઈ સુરાણી અને સરોજબેન શૈલેષભાઈ સુરાણી નામના પતિ-પત્નીનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પતિ-પત્નીનાં શંકાસ્પદ મોત થતા ત્રણ બાળકો રઝળી પડ્યા છે. ત્યારે બંન્ને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. તેમજ પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમા મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવ્યા છે. તેમજ બનાવને પગલે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને હળવદ પી.આઇ. એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ રણની ઢસીએ પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!