Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં તાપણું કરતી વખતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમ્યાન મોત

મોરબીમાં તાપણું કરતી વખતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રોહીદાસપરામાં રહેતા ૫૬ વર્ષીય દેવજીભાઇ પીંતાબરભાઇ બોસીયા ગત તા. ૧૪નાં રોજ સાંજના સમયે પોતાના ઘરે તાપણુ કરતા હતા. ત્યારે તાપણામાં કેરોશીન નાખતી વખતે વધારે આગ લાગતા શરીરે હાથે દાઝી ગયા હતા. જેથી, તેમને સારવાર અર્થે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા. ૨૪ ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!