Friday, May 3, 2024
HomeGujaratટંકારામાં નવનિર્મિત આધુનિક બસ સ્ટેન્ડનું મહર્ષિ દયાનંદ સરસ્વતી નામકરણ કરવા માંગ

ટંકારામાં નવનિર્મિત આધુનિક બસ સ્ટેન્ડનું મહર્ષિ દયાનંદ સરસ્વતી નામકરણ કરવા માંગ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું બસ સ્ટેન્ડનું મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ રાખવામાં આવે તેવી માંગ સાથે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમમાઈ વામજા દ્વારા રાજ્યપાલ સહિતનાઓને લેખિત રજુઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટંકારા ખાતે 166.53 લાખના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચ પ્લેટફોર્મ અને આરસીસી ફેમ સ્ટ્રકચર સુવિધા સાથે 2646 ચોરસ મીટરમાં ફેલાયેલા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે જેને વિશ્વમાં ટંકારાને ઓળખ અપાવી છે તેવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા છે આથી તાલુકાના નવા બસ સ્ટેન્ડનું મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ રાખવા આવે તેવી અનેક આગેવાનએ લેખિત અને મૌખિક માંગણી હતી અનેક રજુવાત કરી હોવા છતાં તંત્ર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે લોકોની માંગને ધ્યાને લઇ બસ સ્ટેન્ડનું મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ કરણ કરવા અંગે અંતમાં માંગ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!